રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવત મંગળવારે વૃંદાવન પહોંચ્યા. અહીં તેમણે સંત મહામંડલેશ્વર યતીન્દ્રાનંદ ગિરીના નવનિર્મિત આશ્રમ જીવનદીપનું લોકાર્પણ કર્યું. મંગળવારે RSS વડા મોહન ભાગવતે વૃંદાવનમાં આશ્રમના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લીધો. તેમણે સંતોના ચરણ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ લીધા. ધર્મપરિવર્તન અંગે RSS વડાએ કહ્યું કે જે લોકો પહેલા હિન્દુ હતા પરંતુ હવે અન્ય સંપ્રદાયોમાં ચાલ્યા ગયા છે તેમને પાછા લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતમાં બધા નાગર...