પશ્ચિમ એશિયામાં સંઘર્ષની પરિસ્થિતિ પર પીએમ મોદીએ પહેલીવાર સંસદમાં સંબોધન કર્યુ. મોદીએ કહ્યું- હું આ ગૃહમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ભારત પર તેની અસર અંગે ચર્ચા કરવા આવ્યો છું. ત્યાંની પરિસ્થિતિ હાલમાં ચિંતાજનક છે. લોકસભામાં 25 મિનિટના ભાષણમાં તેમણે કહ્યું કે તણાવનો અંત આવવો જોઈએ. વાતચીત જ એકમાત્ર ઉકેલ છે. પીએમ મોદીએ કહ્યું કે નાગરિકો અને પાવર પ્લાન્ટ પર હુમલા અસ્વીકાર્ય છે. હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાનું સ્વીકાર્ય નહીં. પીએમએ કહ્યું, સરકાર દેશમાં તેલ અને ગેસ સંકટને...