જમ્મુ યુનિવર્સિટીમાં એમએ પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમમાંથી મોહમ્મદ અલી ઝીણા, સર સૈયદ અહેમદ ખાન અને મોહમ્મદ ઇકબાલ સંબંધિત વિષયો હટાવવાની ભલામણ કરવામાં આવી છે. આ ભલામણ વિભાગીય બાબતોની સમિતિ (DAC) દ્વારા કરવામાં આવી છે. હવે આ અંગેનો અંતિમ નિર્ણય 24 માર્ચે બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠકમાં લેવાશે. યુનિવર્સિટી અનુસાર, 22 માર્ચે HOD ઓફિસમાં DACની બેઠક યોજાઈ હતી. તેમાં વન-યર અને ટુ-યર એમએ પોલિટિકલ સાયન્સ પ્રોગ્રામના અભ્યાસક્રમ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સર્વસંમતિથી ઝીણા, સર સૈયદ અને ઇક...