છત્તીસગઢના મહાસમુન્દ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ ખલ્લારી મંદિરમાં રવિવારે એક મોટો અકસ્માત થયો. ચૈત્ર નવરાત્રિના ચોથા દિવસે સવારે લગભગ 10:30 વાગ્યે મંદિર પહોંચવા માટે બનેલા રોપવેનો કેબલ અચાનક તૂટી ગયો. ટ્રોલીમાં સવાર 5 શ્રદ્ધાળુઓ 20 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાયા. ટ્રોલી પહાડના ખડક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે. 4 ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં બાળકો અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. તમામને તાત્કાલિક બાગબહારા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને...