સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ કહ્યું કે ન્યાયતંત્રના કેટલાક ભાગો ‘મોર લોયલ ધેન ધ કિંગ સિન્ડ્રોમ’થી પીડાઈ રહ્યા છે. એટલે કે, આ ભાગો રાજા કરતાં પણ વધુ વફાદાર બનવાની વૃત્તિ અપનાવી ચૂક્યા છે. તેના કારણે જ લોકો મહિનાઓ સુધી જેલોમાં સડતા રહે છે. જસ્ટિસ ભુઈયાએ આ વાત રવિવારે બેંગલુરુમાં યોજાયેલી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનની પ્રથમ નેશનલ સમિટ દરમિયાન કહી. 'વિકસિત ભારતમાં ન્યાયપાલિકાની ભૂમિકા' વિષય પર પેનલ ડિસ્કશન દરમિયાન જસ્ટિસ ભુઈયાએ કહ્યું- કેટલાક કિસ્સાઓમાં સિસ્ટમ એટલી કડક બન...