સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે ફક્ત હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા લોકો જ અનુસૂચિત જાતિનો દરજ્જો મેળવી શકે છે. જો કોઈ મુસ્લિમ, ખ્રિસ્તી કે અન્ય કોઈ ધર્મમાં પરિવર્તન કરે છે, તો તે અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવી દેશે. ટૂંકમાં ધર્મ બદલતાં જ SC (શિડ્યુલ કાસ્ટ)નો દરજ્જો ખતમ થઈ ગયો ગણાશે. જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે ચુકાદો આપતા કહ્યું કે ખ્રિસ્તી ધર્મ અપનાવનાર દલિત વ્યક્તિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ મળતા કોઈ...